મોરબીમાં આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE
મોરબીમાં આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબીમાં આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત મોરબીમાં આવેલ શ્રી સાધના વિધાલય દ્વારા તાજેતરમાં ધો. 10 અને 12 ના વિધાર્થીઑ માટે બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા તેમજ કારકિર્દીનું ઘડતર અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં આશરે 100 થી વધારે વિધાર્થીઓએ લાભ લીધો હતો અને તેઓને પરીક્ષાની તૈયારી, કારકિર્દીનું ઘડતર તેમજ ભવિષ્યની સમસ્યા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમીનરનું નેતૃત્વ શાળાના આચાર્ય વિશાલ એમ. વિડજાએ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેન પ્રસાદભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું જેમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના BBA, BCA ના આચાર્ય અને પ્રોફેસર ડો. હિરેન મહેતા અને આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના એડમીન વિભાગના HOD હિતેષ સોરીયાએ વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઈન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના આવા પ્ર્યત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.