ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ


SHARE











મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

sર્મ કરીને નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી (VB-G RAM G) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ત્યારે આ નવી યોજનાથી તેના લાભાર્થીઓને શું ફાયદો થવાનો છે તેની માહિતી આપવા માટે મોરબીમાં રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. 

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેને સહુ કોઈ માનરેગાના નામથી જાણે છે તેનું રીફોર્મ કરીને કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત અને આધુનિક મોડલ સાથે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી યોજના અમલમાં મૂકી છે. જેની માહિતી આપવા માટે આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લાના ડીડીઓ નવલદાન ગઢવી સહિતના હાજર રહ્યા હતા.

ત્યારે મંત્રી ત્રિકમ છાંગાએ પત્રકારોને જણાવ્યુ હતું કે, દેશમાં મનરેગા યોજના વર્ષ 2005માં શરૂ કરવામાં આવેલ છે અને જેની નામ બદલાવીને સરકારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ જી નામ કર્યું હતું ત્યારે તેના નામને લઈને ખોટી કાગારોળ કરવામાં આવી રહી છે. જો કે, આ યોજનામાં કરવામાં આવેલા ફેરફારોથી તેના લાભાર્થીઓને શું ફાયદો થવાનો છે તેની કોઈ માહિતી આપતા નથી.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, જૂની યોજનામાં લાભાર્થીને 15 દિવસે વેતન મળતું હતું જો કે, હવે તેઓને દર અઠવાડિયે વેતન આપવામાં આવશે અને અગાઉ વર્ષમાં માત્ર 100 દિવસ રોજગારી મળતી હતી જો કે, હવે 125 દિવસ રોજગારી મળશે અને રાજ્ય સરકારીના 60 દિવસ ગણીએ તો કુલ 185 દિવસ સુધી વર્ષમાં રોજગારી મળશે. આટલું જ નહીં અગાઉ જૂની યોજનામાં માત્ર જોબ કાર્ડ જ બનાવવામાં આવતા હતા અને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો જો કે, હવે મોબાઈલ અને જીપીએસ આધારિત મોનિટરિંગથી લાભાર્થીના કામની દેખરેખ રાખવામા આવશે જેથી ભ્રષ્ટાચાર બંધ થશે.

અંતમાં તેઓએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 ના વિઝન સાથે સરકાર કામ કરી રહી છે ત્યારે છેવાડાના માનવીની પણ ચિંતા કરીને આ યોજનાને રીફોર્મ કરવામાં આવેલ છે તેવા સમયે વિપક્ષ દ્વારા મનરેગાને ખતમ કરવાની ખોટી વાતોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે જો કે, હક્કિત એ છે કે, વીબી-જી રામ-જી યોજાનાથી ગામડાનો વિકાસ થશે અને ખરેખર જરૂર છે તેવા મજૂરોને વધુ કામ મળશે. આ તકે ભાજપના નિર્મલભાઈ જારીયા, અરવિંદભાઇ વાસદડિયા, નીરાજભાઈ ભટ્ટ, જતિનભાઈ ફૂલતરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News