ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આદિવાસી સમાજનું શોષણ બંધ કરો સહિત 12 માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબી જીલ્લામાં આદિવાસી સમાજનું શોષણ બંધ કરો સહિત 12 માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા વિસ્તારમાં ખેતીમાં તથા ઔદ્યોગિક એકમોમાં રોજગારી માટે તેને આદિવાસી પરિવારો આવતા હોય છે અને તે લોકોનું યેનકેન પ્રકારે શોષણ કરવામાં આવતું હોય છે અને સુવિધાઓ આપવામાં આવતી નથી જેથી કરીને આજે મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની વિવિધ ૧૨ જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને તે માંગણીઅને સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તથા ગુજરાત બહારથી ઘણા આદિવાસી પરિવારો મોરબી જિલ્લામાં ખેતીવાડી તથા ઉદ્યોગિક એકમોમાં રોજગારી મેળવવા માટે થઈને આવતા હોય છે પરંતુ તેઓને જરૂરી સેફ્ટીના સાધનો તથા પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને ઘણી વખત તેઓની બહેન દીકરીઓની સાથે અઘટિત ઘટનાઓ બને છે અને અત્યાચારો થતા હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે ત્યારે મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિવિધ ૧૨ જેટલી માંગણીઓ રજૂ કરી હતી જેમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકો માટે સૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે, તે લોકોને સેફ્ટીના સાધનો આપવામાં આવે, અતિવૃષ્ટિ કે દુષ્કાળના કારણે પાક નિષ્ફળ જાય તો તેઓને પણ ભાગિયા હોવાથી વળતર આપવામાં આવે, જંતુનાશ દવાઓ અને રાસાયણિક ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવે, ખેડૂતોની જણસનો ઊંચો ભાવ આપવામાં આવે, આદિવાસી પરિવારના બાળકોના સારા શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે, બહારથી રોજગારી માટે આવતા આદિવાસી પરિવારનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામાઓની અમલવારી કરી તેનો પૂરતો લાભ આપવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવી છે અને શ્રમિક પરિવારોને વીમા પોલીસનું રક્ષણ મળે તથા આરોગ્યની સારવાર મળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ તકે અશોકભાઈ સમ્રાટ, મનસુખભાઇ ચૌહાણ, નગજીભાઇ ચૌહાણ સહિતના આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રમિકો સહિતના હાજર રહ્યા હતા. 






Latest News