વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલા પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી
Breaking news
Morbi Today

મોરબીના કોરોનાગ્રસ્ત દર્દીને અથાગ મહેનતે સાજા કરીને તે દર્દીના હસ્તે જ કાર્યક્રમનું ઉદઘાટન કરતા ચેન્નાઇની એમ.જી.એમ.હોસ્પિટલના તબીબો


SHARE









મોરબીના કોરોનાગ્રસ્ત દર્દીને અથાગ મહેનતે સાજા કરીને તે દર્દીના હસ્તે જ કાર્યક્રમનું ઉદઘાટન કરતા ચેન્નાઇની એમ.જી.એમ.હોસ્પિટલના તબીબો

મોરબીના યુવા ઉધોગપતિ દિપકભાઇ કેશવજીભાઈ બાવરવા કે જેઓને કોરોનાની બીજી લહેર સમયે સંક્રમિત થયા હતા.તેઓએ શરૂઆતમાં રાજકોટની શેલ્સ હોસ્પિટલ ખાતે ડો.નરેશ બરાસરા અને તેમની ટીમ પાસે કોરોનાની સારવાર લીધેલી પરંતુ સારવાર કારગત ન નીવળતા, તેઓને વધુ સારવાર માટે એર એમ્બયુલન્સ દ્રારા ચેન્નાઇની એમ.જી.એમ.હોસ્પિટલે લઇ જવાયા હતા.ત્યાં ડો.સુરેશ રાવ અને તેમની ટીમ દ્વારા ચાર મહીના સુધી સઘન સારવાર કરવામાં આવી હતી.

જેમાં બે વખત ઈકમો જેવી જટીલ સારવાર કરીને દર્દી દિપકભાઇ બાવરવાને નવ જીવન આપવામાં આવ્યુ હતુ. ફેફસાંના પ્રત્યારોપણની આવશ્યકતા ન પડેલ તેવી શ્રેષ્ઠ સારવાર દિપકભાઇને મળેલ તે બદલ ડોકટરોની ટીમનો તેઓએ આભાર માન્યો હતો.એમ.જી.એમ.ચેન્નાઇ ખાતે ઇકમો સારવાર માટેની કોન્ફરન્સનું આયોજન હતુ અને તે કાર્યક્રમનું ઉદ્દઘાટન કોઇ રાજકીય નેતા કે સેલેબ્રીટીના હસ્તે કરવાના બદલે, ડોકટરોની ટીમે એમના અથાગ પ્રયાસોથી સાજા થયેલ મોરબીના દર્દી દિપકભાઇ બાવરવાના હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કર્યુ હતુ જે તબીબોની ઉદાત ભાવના દર્શાવે છે તે ધન્યવાદને પાત્ર છે.દિપકભાઇ સાજા થઇ જતા તેમના કુટુંબીજનો માટે પણ આ એક આનંદની ઘડી હતી.






Latest News