મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા પરિવાર દ્રારા ગંગાસ્વરૂપ માતાઓની દિકરીઓનો યોજાશે સમૂહ લગ્નોત્સવ


SHARE













મોરબીમાં ઉમિયા પરિવાર દ્રારા ગંગાસ્વરૂપ માતાઓની દિકરીઓનો યોજાશે સમૂહ લગ્નોત્સવ

મોરબીમાં ઉમિયા માતાની કૃપાથી ઉમિયા પરિવાર સમાજના ભક્તિવાન, સેવાભાવી બજરંગ ધુન મંડળીના કર્મષ્ઠ સેવક ખરેડા ગામના પનોતા પુત્ર અને સમાજ જીવનમાં ઘણી વિધવા બહેનો અને ગરીબ પરિવારને યાત્રા કરાવેલ છે.એવા સિવિલ ડ્રેસમાં પણ એક સંત જેવું જીવન જીવતા ધનજીભાઈ ભગવાનજીભાઈ ડઢાણીયા તેમજ તેમના ધર્મપત્ની કંચનબેન દ્વારા ઉમિયા પરિવારમાં ગંગા સ્વરૂપ માતાઓની દિકરી માટે એક સમૂહ લગ્નનું આયોજન આગામી તા.૧૭-૦૨ ને ગુરૂવાર મહાવદ એકમના રોજ, સોખડા હનુમાન મંદિર(બેલા-રંગપર) ના પટાંગણમાં અને કનકેશ્વરીજીના આર્શીવાદ અને અન્ય સંતગણોની ઉપસ્થિતિમાં સંપન્ન થવાના છે. 

આ કાર્યને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે સંચાલનની જવાબદારી માળીયા-મો૨બી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સ્વીકારેલ છે. સમુહલગ્નમાં જોડાવા માટે ૨જીસ્ટ્રેશન સમિતિની ઓફીસ ખાતેથી જ કરવામાં આવશે.લગ્ન નોંધણી તા.૧૫-૧ સુધીમાં કરાવી લેવા જણાવાયુ છે.લગ્ન નોંધણી શ્રીજી હોલની નીચે માર્કેટિંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે થશે તે માટે સંસ્થાના મંત્રી જયંતીભાઈ વિડજા (મો.૯૯૭૮૯ ૨૧૩૧૮), સહમંત્રી મગનભાઈ અઘારા (મો.૯૮૨૫૦ ૯૮૦૭૯), ઈશ્વ૨ભાઈ સબા૫રા (મો.૯૪૨૭૨ ૨૨૫૧૦), રાજેશભાઈ ધનજીભાઈ ડઢાણીયા (મો.૯૮૭૯૦ ૧૦૫૮૪) અથવા વિપુલભાઈ ધનજીભાઈ ડઢાણીયા (મો.૯૮૨૫૨ ૬૩૦૬૧) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.

 








Latest News