મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક યુનિટમાં પડી ગયા બાદ મજૂર યુવાનનું મોત


SHARE













મોરબીમાં સિરામિક યુનિટમાં પડી ગયા બાદ મજૂર યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરના સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતો પરપ્રાંતિય મજુર યુવાન ગતરાત્રીના કોઈ કારણોસર કામ દરમિયાન યુનિટમાં પડી ગયો હતો અને જેથી તેનું મોત નિપજતા મૃતદેહને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ પર આવેલા બીટા સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો રાધેશ્યામ મુલચંદભાઇ બગાનીયા (ઉમર ૪૩) નામનો યુવાન ગઈકાલ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં યુનિટમાં કોઈ કારણોસર પડી જતાં તેનું બેભાન હાલતમાં જ મોત નિપજ્યુ હતું.જેથી મૃતદેહને પીએમ માટે મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકનાં હરેશભાઇ ચાવડાએ તપાસ હાથ ધરીને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી.અંતે હાર્ટ એટેકના લીધે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યુ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલી મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક રહેતા પ્રકાશ ચંદ્રકાંતભાઈ ઠાકર નામનો ૩૮ વર્ષીય યુવાન રાજકોટ રોડ ઉપર આવેલ અજંતા ક્લોક નજીકથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં પ્રકાશ ઠાકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો.જ્યારે ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા હર્ષદ બાબુભાઈ મકવાણા નામના ૪૧ વર્ષીય યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાનાં ધણાદ ગામે રહેતો લાલાભાઇ રૈયાભાઈ દેવીપુજક નામનો ૪૧ વર્ષીય યુવાન ગામ નજીક પોતાની વાડીએ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં બાઈક આડે અચાનક કુતરુ ઉતરતા તેનું બાઇક સ્લીપ થઇ જતાં તેને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઇ ભીખાભાઇ ઉચાણા નામના ૩૨ વર્ષીય યુવાનને વાંકાનેર હાઇવે ઉપર વિશાલ ફર્નિચર નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માં નહીં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.








Latest News