મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ચોકડીએ આડેધડ વાહન પાર્કિંગની પીડામાંથી મુક્તિ માટે વેપારીઓ સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબીની રવાપર ચોકડીએ આડેધડ વાહન પાર્કિંગની પીડામાંથી મુક્તિ માટે વેપારીઓ સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબીની રવાપર ચોકડી પાસે આડેધડ વાહન પાસ થતાં હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને સ્થાનિક વેપારીઓ સહિતના લોકો આજે એસપી ઓફિસે પહોંચ્યા હતા અને રવાપર ચોકડી પાસે ટ્રાફિકની યોગ્ય રીતે નિયમન કરાવવામાં આવે અને આડેધડ વાહન પાર્ક કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલા શોપિંગ સેન્ટર નજીક આડેધડ વાહન પાર્ક થતા હોય છે જેના કારણે સ્થાનિક વેપારીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આજે સ્થાનિક વેપારીઓ સહિતના લોકો દ્વારા મોરબી એસપી ઓફિસ ખાતે જઈને ત્યાં ટ્રાફિક શાખાની અંદર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને રવાપર ચોકડી પાસે જે આડેધડ બાઈકસ્કૂટરકાર સહિતના વાહનોને પાર્ક કરવામાં આવતા હોય છે તે વાહન ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવાપર ચોકડી પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાંથી એક પણ શોપિંગ સેન્ટરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા નથી જેના કારણે મોટાભાગના દુકાનદારો અને ત્યાં આવતા ગ્રાહકો દ્વારા રસ્તા ઉપર વાહનોને પાર્ક કરવામાં આવે છે અને તે વાહનોને આડેધડ પાર્ક કરવામાં આવતા હોવાના કારણે ટ્રાફિકજામઅકસ્માત સહિતના બનાવો ત્યાં બનતા હોય છે જેથી કરીને વેપારીઓ સહિતના લોકો દ્વારા આજે ટ્રાફિક શાખામાં આવેદનપત્ર આપીને રવાપર ચોકડી પાસે યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમન થાય તેવી માંગ કરવામાં આવી છે




Latest News