મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી


SHARE













મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે કારખાનાઓના લીધે પ્રદૂષણ ફેલાઈ છે જેની અનેક વખત રજૂઆત કરી છે તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે જેથી કરીને ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા ગ્રામજનોને સાથે રાખીને ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગોર ખીજડીયા ગામના ગૌતમ મોરડીયાએ જણાવ્યુ છે કે, ગામના સિમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં અનેક કારખાના આવેલ છે અને તેમાંથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેથી કરીને ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને નદીનું પાણી પણ પ્રદુષિત થઈ રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીને પણ નુકશાન થાય છે જેથી અગાઉ જીપીસીબી અને એનજીટી સુધી રજૂઆત કરાઇ છે અને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે તો પણ પ્રદૂષણનો પ્રશ્ન ઉલેકાયેલ નથી અને તંત્રની બેદરકારીના લીધે 3 મહિના પહેલા કેમિકલયુક્ત પાણીના કારણે અનેક માછલાઓના મોત પણ થયા હતા. અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરી માહિનામાં ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીના ચેરમેનને લેખિત રજૂઆત કરાઇ હતી તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ત્યારે જો આગામી 2થી 3 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો સરપંચ સહિત ગ્રામજનો ભૂખ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




Latest News