મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રજડતા ખૂટિયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા, કર્ફ્યુ જેવો માહોલ


SHARE











વાંકાનેરમાં રજડતા ખૂટિયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા, કર્ફ્યુ જેવો માહોલ

વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા જેથી કરીને થોડીવાર માટે રસ્તા ઉપર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા ત્યાર બાદ મહામુસીબતે લોકોએ યુદ્ધ ચડેલા ખૂંટીયાઓને છૂટા પાડ્યા હતા

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રજડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે અને અવારનવાર રજડતા ઢોર રાહદારી લોકોને હડફેટે લઈને તેઓને શારીરિક અને તેઓના વાહનોમાં નુકસાન કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે જેથી હાઇકોર્ટ પણ આ બાબતને લઈને ગંભીર ટીપણી કરતી હોય છે તેવામાં વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર બે ખુટિયા યુદ્ધે ચડ્યા હતા અને ત્યાં લોકોના વાહનોમાં નુકસાની કરી હતી અને યુદ્ધે ચડેલા ખૂંટીયાને છૂટા પાડવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યાર બાદ ખૂંટીયા છુટા પડ્યા હતા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલેખનીય છેકે, અવારનવાર આવી રીતે વાંકાનેર શહેર તથા મોરબી જિલ્લામાં રજડતા ખૂંટીયા યુદ્ધે ચડતા હોય છે ત્યારે લોકોના જીવા પડીકે બંધાઈ જતા હોય છે અને આગામી દિવસોમાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાય ત્યારે પહેલા રજડતા ઢોરને પકડવા માટેની નક્કર કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.






Latest News