મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

મોરબીના સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે રાજકોટના સાંસદે કેન્દ્રિય વિદેશમંત્રીને લખ્યો પત્ર


SHARE













મોરબીના સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે રાજકોટના સાંસદે કેન્દ્રિય વિદેશમંત્રીને લખ્યો પત્ર

મોરબીનો સાહિલ માજોઠી હાલમાં યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે અને તેને ભારત પરત લાવવા માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે તાજેતરમાં તે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાને મળવા માટે ગયા હતા ત્યારે બાદ રાજકોટના સાંસદ દ્વારા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રીને લેખિતમાં ભલામણ કરીને યુક્રેનના અધિકારી સાથે સાહિલ માજોઠી બાબતે વિદેશ મંત્રાલય મારફતે ચર્ચા કરીને તેને ભારત પરત લાવવા માટેની કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે.

મોરબીનો સાહિલ માજોઠી રશિયાની ITMO યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયો હતો અને પાર્ટ-ટાઇમ નોકરી દરમિયાન તેને અજાણતા એક પાર્સલ પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું જેમાં કથિત રીતે ડ્રગ્સ હતું જેથી રશિયામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને સાહિલ પાસે પાર્સલની સામગ્રી વિશે કોઈ જાણકારી ન હોવા છતાં તેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અને ત્યાર બાદ રશિયન અધિકારીઓએ કથિત રીતે તેને રશિયન નાગરિકતા સ્વીકારવા અને રશિયન સેનામાં સામેલ કરવા દબાણ કર્યું હતું, પરંતુ તેમણે ના પાડી તેમ છતાં તેને બંદૂક રાખવા દબાણ કર્યું હતું અને યુક્રેનની સરહદ ઉપર મોકલવામાં આવેલ હતો.

જો કે, જીવ બચાવવા અને યુદ્ધમાં બળજબરીથી બચવા માટે તેણે રશિયન-યુક્રેન સરહદ નજીક યુક્રેનિયન અધિકારીઓ સમક્ષ સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું જેથી કરીને સાહિલને ફક્ત ભારત પરત મોકલવામાં આવે અને તેણે રશિયા પરત ન મોકલવામાં આવે તેવી તેના માતા હસીનાબેન દ્વારા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને રજૂઆત કરવામાં આવી છે. જેથી કરીને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરને લેખિતમાં ભલામણ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રહેતા હસીનાબેન માજોઠીનો દીકરો સાહિલ મોહમ્મદહુસેન માજોઠી (પાસપોર્ટ નં. X9540641) હાલ યુક્રેનમાં છે ત્યાંથી તેને ભારત પરત લાવવા માટે યુક્રેનના અધિકારી સાથે વાત કરવામાં આવે તે જરૂરી છે.

અત્રે ઉલેખનીય છે કે, સાહિલના માતાએ નવી દિલ્હી ખાતે દિલ્હી હાઇકોર્ટમાં W.P (C) 16587/2025 દાખલ કરી છે અને ન્યાયાધીશ સાહિન દત્તાના તા. 03.11.2025 ના આદેશ દ્વારા પ્રતિવાદી/ વિદેશ મંત્રાલયને યુક્રેન અને યુક્રેન હાઇ કમિશનમાં સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરવા માટે એક અધિકારીને નિયુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેથી સાહિલને વહેલી તકે ભારત પરત લાવવા માટે યુક્રેનના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે સાંસદે તેના ભલામણ પત્રમાં લખ્યું છે.




Latest News