મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળી આધેડ પોતાના જ ગેરેજમાં અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબીમાં બીમારીથી કંટાળી આધેડ પોતાના જ ગેરેજમાં અણધાર્યું પગલું ભર્યું

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડને ડાયાબિટીસની બીમારી હોય અને તે બીમારીથી કંટાળીને તેઓએ લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ગેરેજમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજતા પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૬ માં આવેલા પોતાના ગેરેજ ખાતે મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉમર ૫૩) રહે.સુભાષનગર સોસાયટી રવાપર રોડ મોરબી મૂળ બરવાળા તા.જી.મોરબી એ ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજયુ હતું.બનાવને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ડેડબોડીને પીએમ માટે સિવિલ ખસેડ્યું હતું.બનાવની તપાસ ચલાવી રહેલા વી.કે પટેલ તથા પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે ડાયાબિટીસની બીમારીથી કંટાળી જઈને મહેશભાઈ સનાવડાએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જેથી તેમનું મોત થયેલ છે.

વાવ પોલીસ દ્વારા કાર્યવાહી

વાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજી દારૂના કેસની તપાસમાં બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં મોરબીના સામેકાંઠે વૃંદાવન પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા અર્જુનસિંહ હરીશસિંહ રાઠોડ (૨૯) ને હસ્તગત કરીને તપાસના કામે સાથે લઈ ગયા હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા જણાવાયેલ છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ભીમસર વિસ્તારમાં મફતપરામાં રહેતા શારદાબેન જયંતીભાઈ જીંજુવાડીયા નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાને તેમના ઘરે પતિ દ્વારા ઝઘડો કરીને ધોકા વડે માથામાં માર મારવામાં આવ્યો હતો.જેથી અત્રેની સિવિલે અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણએ તપાસ કરી હતી.જ્યારે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા મેહુલભાઈ હકાભાઇ સરાણીયા નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને રફાળેશ્વર તરફ જતો હતો ત્યારે રસ્તામાં કૂતરૂ અચાનક આડુ ઉતરતા વાહન સ્લીપ થયેલ હોય ઇજા પામતા આયુષ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

મોરબીના માળીયા હાઇવે માળિયા ઓવર બ્રિજ પાસે આગળ જતા ટ્રકને અન્ય ટ્રકે ટક્કર મારી હતી.આ બનાવમાં રાજકુમાર અજયભાઈ ઇક્કા (૨) રહે.ભીમાસર ચોકડી મોરબીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લીલાપર રોડ ગૌશાળા પાસે રહેતા લાભુબેન ચમનભાઈ કણસાગરા નામના ૬૧ વર્ષીય મહિલા નાનાભેલા ગામે સનાતન સાધના કેન્દ્ર ખાતે હતા.ત્યાં તેઓને વીંછી કરડી ગયેલ હોય સારવાર માટે અહીં સિવિલે લવાયા હતા




Latest News