મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડ ઉપરથી સગીરાનુ અપહરણ, તપાસ શરૂ


SHARE













મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનામાંથી સગીરાનુ અપહરણ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં રોજગારી માટે થઈને આવેલ અને જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની 16 વર્ષની સગીર દીકરીનું ગત તા. 12/1 ના રોજ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે જેથી તેને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ સગીરાનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એસ.એચ.ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે

મહિલા દાઝી જતાં સારવારમાં

મોરબી તાલુકાના હરીપર (કે) ગામે આવેલ ગ્રાફીટો કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘીરીબેન રામજીભાઈ (42) નામના મહિલા તાપણા પાસે બેઠા હતા દરમિયાન કોઈ કારણસર તે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના વિજયનગર વિસ્તારની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુબેન પુનાભાઈ મકવાણા (60) તથા ભુપેન્દ્રભાઈ પુનાભાઈ મકવાણા (38) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News