મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા મનાલીબેન મોહનીસપરી ગોસાઈ (25) નામની મહિલાએ પોતે પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એમ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે અને મૃતક મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
ઈજાગ્રસ્ત વૃદ્ધા સારવારમાં
ધાંગધ્રા પાસેના નારીચાણા ગામે રહેતા ધનીબેન ઈશ્વરભાઈ પટેલ નામના એકયાંશી વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક તેમના બાઈકની આડે કૂતરૂ અચાનક આડું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હોય ઇજા પામતા અત્રે શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે રહેતા કાસમભાઈ મહંમદભાઈ ભટ્ટી નામના ૩૦ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીમાં ઈજા પહોંચેલ હોય સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.જ્યારે મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે ઘરે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા અમીનાબેન અકબરભાઈ જામ નામના ૪૨ વર્ષીય મહિલાને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.