મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરાયું સન્માન


SHARE











મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરાયું સન્માન

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું તેમાં ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સહિતની મહેમાનોના હસ્તે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સ્નેહમિલન તેમજ તથા સન્માન સમારોહમાં જિલ્લાના તમામ વકીલો હાજર રહ્યા હતા.

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે ક્લબ 36 ખાતે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા વકીલોના સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ તથા એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સ જજ કે.આર. પંડ્યા સાહેબ સહિતના તમામ જજ સાહેબો આ ઉપરાંત જે.જે.પટેલ, અંશભાઈ ભારદ્વાજ, મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ, મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ તકે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા મોરબી જિલ્લામાં છેલ્લા 35 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલની પ્રેક્ટિસ કરતા જિલ્લાના સિનિયર વકીલો, મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ આગેચાણીયા અને તેની ટીમ તથા જિલ્લા બાર એસો. અને તાલુકા બાર એસો.ના માજી પ્રમુખો અને વર્તમાન પ્રમુખોની સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી વકીલો હાજર રહ્યા હતા આ ઉપરાંત મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પત્રકારો પણ આજે રહ્યા હતા






Latest News