મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા
SHARE
મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા
મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ યુવા ટીમના પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા તાજેતરમાં દિલ્હી ખાતે ગયા હતા ત્યારે પ્રથમભાઈ કાંતિલાલ અમૃતિયા કેન્દ્રીય મંત્રી અને ગ્વાલયર સ્ટેટના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાને તેઓના નિવાસસ્થાનએ મળ્યા હતા ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખાસ કરીને પ્રતાંભાઈ અમૃતિયા ગુજરાતનાં હોવાથી તેઓને ગુજરાતીમાં “કેમ છો મજામા” એવું કહ્યું હતું ત્યારે બાદ તેઓની સાથે બીજી ઘણી બધી ચર્ચા થઈ હતી જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં યુવા વર્ગ વધુને વધુ તેઓના મિશન નવ ભારત સંગઠન સાથે જોડાઈ રહ્યા છે તેની અંગેની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા જે કામગીરી યુવાનો, મહિલા અને ખેડૂતોના હિત માટે કરવામાં આવે છે તે પણ ચર્ચા કરવાં આવી હતી.