મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના માજી પ્રમુખના જન્મદિવસ નિમિતે સાડીનું વિતરણ કરાયું
SHARE
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના માજી પ્રમુખના જન્મદિવસ નિમિતે સાડીનું વિતરણ કરાયું
વસ્ત્રદાન એ ઉત્તમ દાન છે તે કહેવત ને સાર્થક કરતા વર્ષ 2017 થી દર વર્ષે 29 મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ નિમિતે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીમતી પ્રીતિબેન કિશોરભાઈ દેસાઈ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવે છે તે અંતર્ગત કાયમી પ્રોજેક્ટ તરીકે 180 જેટલી વિધવા તેમજ જરૂરિયાત મંદ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલેખનીય છે કે, છેલ્લા નવ વર્ષથી પ્રીતિબેન દેસાઈના આર્થિક સહયોગથી સાડીનું વિતરણ કરવામાં આવે છે.આ તકે સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા, ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તેમજ મયુરીબેન કોટેચા અને સભ્યો સહિતના હાજર રહ્યા હતા.