મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓના આરોગ્યની ચકાસણી માટે કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે માતૃશ્રી સ્વ.ચંપાબેન ઉમેચંદ સંઘવી હસ્તે ડો. એન.યુ.સંઘવીના અને પ્રવિણભાઈ ધીરજલાલ કારીયા (ઘોઘુભાઇ) તરફથી સૌજન્ય આપવામાં આવ્યું હતું અને બાલ વાટિકાથી લઈને ધો. 8 સુધીની કુલ 400 વિદ્યાર્થીનીઓનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી. અને ત્રણ દિવસની દવાઓ તેમજ કફ સીરપ વગેરે આપ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ડો. હસ્તલેખા મહેતા (હસ્તીબેન), નિવૃત્ત આચાર્ય ફિરોઝભાઈ બગથરીયા, કૌશિકાબેન રાવલ, રશ્મિનભાઇ મહેતા, પ્રિન્સિપાલ દિનેશભાઇ વડસોલા તેમજ શાળાના તમામ સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી હતી.






Latest News