મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા
મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓના આરોગ્યની ચકાસણી માટે કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે માતૃશ્રી સ્વ.ચંપાબેન ઉમેચંદ સંઘવી હસ્તે ડો. એન.યુ.સંઘવીના અને પ્રવિણભાઈ ધીરજલાલ કારીયા (ઘોઘુભાઇ) તરફથી સૌજન્ય આપવામાં આવ્યું હતું અને બાલ વાટિકાથી લઈને ધો. 8 સુધીની કુલ 400 વિદ્યાર્થીનીઓનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી. અને ત્રણ દિવસની દવાઓ તેમજ કફ સીરપ વગેરે આપ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ડો. હસ્તલેખા મહેતા (હસ્તીબેન), નિવૃત્ત આચાર્ય ફિરોઝભાઈ બગથરીયા, કૌશિકાબેન રાવલ, રશ્મિનભાઇ મહેતા, પ્રિન્સિપાલ દિનેશભાઇ વડસોલા તેમજ શાળાના તમામ સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી હતી.