માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત


SHARE













મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત

મોરબીના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ દેવમુરારી (51)એ પગના દુ:ખાવાથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર એસિડ પી જતા મોરબી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ. અહીં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. 

વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, સંજયભાઈ ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટા હતા. તેઓ દૂધની ડેરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને તેને સંતાનમાં 1 દીકરો અને 3 દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી પગની બીમારીથી પીડાતા હતા અને તેમની દવાઓ પણ ચાલુ હતી. જોકે, આ સતત રહેતા દુ:ખાવાથી તેઓ કંટાળી ગયા હતા અને આ પગલું ભર્યાનું અનુમાન છે. તેમના આપઘાતથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News