મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત


SHARE













મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત

મોરબીના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ દેવમુરારી (51)એ પગના દુ:ખાવાથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર એસિડ પી જતા મોરબી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ. અહીં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. 

વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, સંજયભાઈ ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટા હતા. તેઓ દૂધની ડેરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને તેને સંતાનમાં 1 દીકરો અને 3 દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી પગની બીમારીથી પીડાતા હતા અને તેમની દવાઓ પણ ચાલુ હતી. જોકે, આ સતત રહેતા દુ:ખાવાથી તેઓ કંટાળી ગયા હતા અને આ પગલું ભર્યાનું અનુમાન છે. તેમના આપઘાતથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News