મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી દ્વારા સુરતમાં સંગઠન ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો: દેશના વિવિધ રાજ્યોમાંથી સભ્યો સભામાં આવ્યા ટંકારા તાલુકા પોલીસે 1390 કિલો ચોરાઉ એલ્યુમિનિયમના જથ્થા સાથે એક આરોપીને પકડ્યો, 9.29 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ આરોપીની શોધખોળ ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત


SHARE













મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલ નજીક ઈંટોના ભઠ્ઠા પાસે રહેતા પરિવારની યુવતીએ તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજયુ હતું.બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા તથા સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ વિલ્સન પેપર મીલ પાસે રોમ સીરામીકના સામેના ભાગમાં ઈટુંના ભઠ્ઠામાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરી ગુજરાન ચલાવતા વાલજીભાઈ ખેંગારભાઈ પરમાર દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે તેમની પુત્રી આરતીબેન વાલજીભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૫) રહે.લીલાપર રોડ ઈંટોના ભઠ્ઠા પાસે રોમ સીરામીક સામે વિલ્સન પેપર મિલ નજીક મોરબી એ તેમના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેણીનું મોત નિપજેલ છે પોલીસ મોકલો.જેથી કરીને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડેડબોડીને નીચે ઉતારી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું.આ અંગે વધુમાં તપાસ અધિકારી એમ.પી.ઝાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક આરતીબેન પરમારની માનસિક બીમારી સબબ દવા ચાલુ હતી.દરમિયાનમાં કોઈ કારણોસર તેણીએ તેના ઘરે ઉપરોક્ત પગલું ભરી લેતા આરતીબેનનુંં મોત થયેલ છે.કયા કારણોસર તેણીએ આ પગલું ભર્યું ? તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામે સિમ વિસ્તારમાં રહેતા મિતલબેન શૈલેષભાઈ માવી નામની ૧૪ વર્ષની સગીરા કોઈ કારણોસર દવા પી ગઈ હોય તેણીને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી. તેમજ મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ રામકો સોસાયટી વિસ્તારમાં રહેતા અલ્કાબેન શક્તિસિંહ ભાટીયા નામના ૨૨ વર્ષીય મહિલાએ દવા પી લીધી હતી.જેથી તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓના લગ્નગાળો બે વર્ષનો હોય પીએસઆઇ ભટ્ટ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સાસુ-વહુ વચ્ચેની બોલાચાલી તથા પૈસા બાબતની બોલાચાલીમાં આ બનાવ બન્યો હોય પોલીસે આ બાબતે આગળની તપાસ કરી હતી.

વાહન અકસ્માત

મોરબીના ઘુંટુ ગામે દાડમા દાદાની જગ્યા પાસે રહેતા ધીરજભાઈ અવચરભાઈ રાઠોડ નામના ૪૮ વર્ષીય યુવાન તેઓના ઘર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે વાહન સ્લીપ થઈ ગયેલ હોય ઇજા પામતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News