ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે

૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા આયોજીત મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે.

મોરબીમાં અભ્યાસની સાથે સહભ્યાસિક સંસ્કૃતિક મુલ્યલક્ષી પ્રવૃત્તિઓના આયોજન દ્વારા વિધાર્થી ઘડતરમાં હર હમેશ મોખરે રેહતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં જયારે પશ્ચિમી સંસ્કૃતિ નો વ્યાપ વધતો જતો હોય ત્યારે આપણી ગૌરવવંતી માતૃભાષા ગુજરાતી ભાષાનું મહત્વ અને ગરિમા જળવાય, વિશ્વ ફલક પર ચમકે અને વિધાર્થીઓમાં તે અંગે રસ રૂચી વધે તે માટે સતત પ્રયત્નશીલ ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને મોરબીની પી.જી.પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તારીખ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ શનિવારના રોજ કવિ સંમેલન યોજાશે.જેમાં અનેક પ્રખ્યાત કવિઓ અને સાહિત્યકારો પોતાની રજુઆતો કરશે. #morbi






Latest News