ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે

સેવા એજ ધર્મ ન સૂત્રને જીવનું સૂત્ર માનનાર પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી સરસ્વતી શિશુ મંદિર ટંકારા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પમાં લાભ લેવા દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવી લેવા આયોજકોએ જણાવ્યુ છે.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં મેડિકલ કેમ્પ, કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ, વૃધ્ધાશ્રમ - બાલાશ્રમ સહિતના સ્થળો પર કપડા, નાસ્તો વિતરણ સહિતની સેવા આપી રહ્યા છે ત્યારે  આગામી તા. 1 માર્ચના રોજ ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર  ખાતે  મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ આ કેમ્પમાં આવનાર દર્દીઓને દવા નિઃશુલ્ક આપવામાં આવશે જે દવાનો તમામ ખર્ચ વર્ષાબેન ભીમાણી દ્વારા આપવામાં આવશે અને આ કેમ્પમાં હેલ્થકેર લેબોરેટરીના રાહુલ શિયાલ દ્વારા હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ અને સુગરના રિપોર્ટ નિશુલ્ક કરી આપવા આવશે. આ મેડિકલ કેમ્પમાં મોરબી અને રાજકોટની વિવિધ નામાંકિત હોસ્પિટલના  નિષ્ણાંત ડોકટરો સેવા પોતાની ટીમે સાથે સેવા આપશે. આ કેમ્પમાં લાભ લેવા માટે લાભાર્થી દર્દીઓએ બેચરભાઈ ગોધાણી (7878318184), હર્ષદભાઈ દવે (9016255345), જયેશભાઈ વીરસોડિયા (8866750690), મહેશભાઈ વિરમગામા (9879874033) અને દીપકભાઈ ખત્રી (9979000334)ના મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવા આયોજકોએ જણાવ્યુ છે અને રજિસ્ટ્રેશન ન થઈ શકેલ હોય તેવા દર્દીઓનું પણ નિદાન કરવામાં આવશે. 






Latest News