મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો


SHARE













મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો

રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દીર્ધાયું માટે શનિવારે શિવ શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરીહર કામ ખાતે શહેર ભાજપ તથા મિશન નવભારતના આગેવાનો તેમજ મોરબીના નગરજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.

મોરબી માળિયા વિસ્તારના લડાયક નેતા અને ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાને અન્નનળીનું કેન્સર ડિટેક્ટ થયા બાદ તેઓની મુંબઈ ખાતે આવેલ કોકીલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે અને શનિવારે તેઓને કેન્સરનું ઓપરેશન કરવાનું હતું જેથી કરીને મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે મોરબી શહેર ભાજપની ટીમ તેમજ મિશન નવભારતની યુવા ટીમ દ્વારા મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં શિવ શક્તિ યજ્ઞનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેર ભાજપના હોદ્દેદારો તથા મિશન નવ ભારતની ટીમ તેમજ જુદી જુદી એનજીઓ અને કાંતિભાઈ અમૃતિયાના સમર્થકો દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુ માટે ખોખરા હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મુંબઈની હોસ્પિટલ ખાતે કાંતિભાઈ અમૃતિયાનું ઓપરેશન ચાલુ રહ્યું હતું ત્યાં સુધી ખોખરા હનુમાન મંદિરના પટાંગણમાં યજ્ઞશાળા ખાતે શિવ શક્તિ યજ્ઞમાં સહુકોઈ હાજર રહેલા આગેવાનો સહિતના તેઓના પરિવારજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી

જ્યારે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે કાંતિભાઈ અમૃતિયા પહેલા જે રીતે લોક સેવા માટે સતત જાગૃત રહેતા હતા અને દોડતા રહેતા હતા તેવી જ રીતે પુન: લોક સેવામાં દોડી શકે અને સારી રીતે કામ કરી શકે અને તેઓનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે થઈને આ શિવ શક્તિ યજ્ઞ ખોખરા હનુમાનજીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુના આશીર્વાદ અને કૃપા મળે તે માટે થઈને કરવામાં આવ્યો હતો.






Latest News