મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP


SHARE













મોરબી શહેરમાં વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા બી.કે.બોરીચાનું આજે ડીવાયએસપીની હાજરીમાં મોરબીના સનાળા રોડ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ શખ્સના ઘરેથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે હાલમાં પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ વ્યક્તિ બી.કે.બોરીચાનો ભોગ બનેલ હોય તેના દ્વારા મોરબીમાં ફરિયાદ નોંધાવવામાં પોલીસ તેઓની સાથે જ છે તેવી ડીવાયએસપી દ્વારા ખાતરી આપવામાં આવી છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા બી.કે. બોરીચા નામના શખ્સના ઘરની અંદરથી બે દિવસ પહેલા પોલીસે ચેક કર્યું હતું ત્યારે ઘરમાંથી બિયરના 22 ટીન મળી આવ્યા હતા જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધાયો હતો અને હાલમાં બી.કે. બોરીચાને રિમાન્ડ ઉપર લઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા જે બાબતે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે તેવામાં રવિવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં મોરબીના સનાળા રોડ ઉપર બી.કે.બોરીચાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ તકે મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બી.કે. બોરીચા સામે વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા ગુના અગાઉ નોંધાયેલ છે. જેથી તેની સાથે આ ગુનાઓમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેના આધારે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે લોકો બી.કે.બોરીચાનો ભોગ બનેલા હોય તેઓએ ફરિયાદ નોંધાવવી જોઈએ. મોરબીની પોલીસ ભોગ બનેલા લોકોની સાથે જ છે તેવી ખાતરી પણ ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલ છે.






Latest News