મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ


SHARE













મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ

મોરબી તાલુકાના ઘુટુ, જાંબુડીયા અને પ્રેમજીનગર ગામેથી જુદા જુદા ત્રણ પરિવારની દીકરીઓ અલગ અલગ સમયે ઘરેથી ગુમ થઈ ગયેલ છે તે બાબતે તેઓના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુમ થયેલ યુવતીઓને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા રસીલાબેન દિનેશભાઈ ચાવડા (45)તેઓની દીકરી ભૂમિકાબેન દિનેશભાઈ ચાવડા (19) ઘરે કશું કહ્યા વગર ગુમ થઈ ગઈ હોય તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જયારે મોરબીના મકગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સોલંકી (67)એ તેઓના ભાઈની દીકરી હેતલ સુરેશભાઈ સોલંકી (22) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હોય તે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ ચામુંડા સોસાયટીમાં રહેતા કાંતાબેન ખીમજીભાઇ ભંખોડીયા (50)એ તેઓની દીકરી સોનલબેન ખીમજીભાઇ ભંખોડીયા (19) નવા જાંબુડીયા ગામે ભાઈના ઘરે જવાનું કહીને ગુમ થઈ ગયેલ છે જેથી ત્રણેય બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી ગુમસુધા ફરિયાદ લઈને પોલીસે ગુમ થયેલ યુવતીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતા રત્નદીપસિંહ મહાવીરસિંહ જાડેજા (41) નામનો યુવાન ગામોમાં બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ઈશ્વરભાઈ નામના વ્યક્તિ રાજકોટ હાઇવે રોડ ઉપર અજંતા કારખાના પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક સાથે અકસ્માત થયો હતો અને જે બનાવમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News