મોરબીમાં સગીરાનું અપહરણ,અકસ્માતના બનાવોમાં વૃધ્ધા, યુવાન, યુવતી સારવારમાં મોરબી મહારાણા પ્રતાપ સર્ક્લે બે બાઇક અથડાતા ત્રણ યુવાન અને નવલખી રોડે બોલેરો - એક્ટીવા અકસ્માતમાં બે યુવતી ઇજાગ્રસ્ત મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ મોરબી જિલ્લા ભાજપની ટિમ જાહેર થતાની સાથે જ ચુવાળીયા કોળી સમાજ નારાજ, આગેવાનોની બેઠક મળી: મહાસંમેલન યોજવાની તૈયારી વાંકાનેરમાં દારૂની 24 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: 100 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો, માલ મંગાવનારની શોધખોળ હળવદના રણમલપુર ગામે વીજપોલ ઊભો નહીં કરવા બાબતે ઝઘડો કરીને વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ઉપર ટ્રક પલ્ટી મારી જતાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ


SHARE













મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ

મોરબીમાં મચ્છુ નદી પર પાડાપુલના સમારકામ અને ઓવરબ્રિજની કામગીરીને કારણે વાંકાનેર-મોરબી વચ્ચેની ૬ ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ કરવામાં આવેલ છે અને ​વાહનવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખવા અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવેલ છે.

મોરબી ​કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના અનુરોધ પર, મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી તથા નટરાજ ફાટક પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના કાર્યને લીધે વાંકાનેરમોરબી રેલખંડ પર ચાલતી ૬ ડેમુ ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ​સમારકામની કામગીરી દરમિયાન માર્ગ પર વાહનોના ભારે ભારણ અને રેલ્વે ફાટક વારંવાર બંધ થવાને કારણે સામાન્ય જનતાને પડનારી સંભવિત મુશ્કેલીઓને ઘટાડવા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવાના ઉદ્દેશ્યથી રેલ પ્રશાસન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. જનહિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી ૬ ડેમુ ટ્રેનોનું સંચાલન ૨૭ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ, ૨૦૨૬ સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.






Latest News