મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ


SHARE











મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ

મોરબીમાં મચ્છુ નદી પર પાડાપુલના સમારકામ અને ઓવરબ્રિજની કામગીરીને કારણે વાંકાનેર-મોરબી વચ્ચેની ૬ ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ કરવામાં આવેલ છે અને ​વાહનવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખવા અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવેલ છે.

મોરબી ​કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના અનુરોધ પર, મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી તથા નટરાજ ફાટક પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના કાર્યને લીધે વાંકાનેરમોરબી રેલખંડ પર ચાલતી ૬ ડેમુ ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ​સમારકામની કામગીરી દરમિયાન માર્ગ પર વાહનોના ભારે ભારણ અને રેલ્વે ફાટક વારંવાર બંધ થવાને કારણે સામાન્ય જનતાને પડનારી સંભવિત મુશ્કેલીઓને ઘટાડવા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવાના ઉદ્દેશ્યથી રેલ પ્રશાસન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. જનહિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી ૬ ડેમુ ટ્રેનોનું સંચાલન ૨૭ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ, ૨૦૨૬ સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.






Latest News