મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત

મોરબીની જાંબુડીયા ગ્રામ પંચાયત હેઠળ આવતા રફાળેશ્વર ગામે લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા આવે તે જરૂરિ છે જેથી કરીને જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારીને તેના માટે લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીની જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન આર. પટેલ સહિતના આગેવાનોએ તાજેતરમાં જિલ્લા પંચાયના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ જિલ્લાના આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જાંબુડીયા ગામે નવા જાંબુડીયા વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્ર હાલમાં છે. જ્યારે જાંબુડીયાની હદમાં આવતું રફાળેશ્વર ગામ ત્યાંથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં આજની તારીખે અંદાજિત પાંચ હજારની વસ્તી છે અને અહીં મજૂર વર્ગની વસ્તી વધુ છે. ત્યારે લોકોના આરોગ્યની સુવિધામાં વધારો થયા તે માટે રફાળેશ્વર ગામે જ નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તેવી ગ્રામજનો વતી માંગ કરી છે.






Latest News