મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE







મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી જ ગ્રાહકોને અનાજ મળે છે તેમાં એક વ્યકિતને બદલે બે વ્યકિતના અંગુઠા રાખવામાં આવે તેવી અહિંના ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા રાજયના અન્ન અને પુરવઠા વિભાગના મંત્રીને કરવામાં આવેલ છે

મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા રાજયના અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી રમણભાઈ સોલંકીને લેખીત રજૂઆત કરીને જણાવાયેલ છે કે, રાજય સરકાર દ્રારા દિનદયાલ સસ્તા અનાજ ડીપો દ્વારા જરૂરીયાતમંદ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે અનાજ મળે છે.પરંતુ સરકાર તરફથી સૂચના છે કે જે વ્યકિત સસ્તા અનાજની દુકાનનો સંચાલક હોય તેનો અંગુઠો મારે ત્યાર બાદ જ ગ્રાહકને અનાજ મળે.જોકે ઘણીવાર પરિસ્થીતી એવી બને છે કે ક્યારેક લાઈટ ન હોય, કોમ્પ્યુટર ચાલે નહી, સંચાલકના ઘરે સારો કે માઠો પ્રસંગ બન્યો હોય તો સંચાલક આવી ન શકે તો ગ્રાહકોની લાઈન લાગે છે.લોકો ધંધા રોજગારનું રોજ પાડીને વસ્તુ લેવા આવે છે તેમણે વારંવાર ધક્કા ખાવાના ? જેના કારણે સરકારની સસ્તા અનાજની યોજનાનો હેતુ સફળ થતો નથી.તેવી ચર્ચા થાય છે.જો ગ્રાહકને સમયસર અનાજ આપવુ હોય તો સંચાલકના અંગુઠા સાથે બીજા જે કોઇ આસીસ્ટન્ટ હોય તેનો અંગુઠો ચલાવવો જોઈએ.જેથી કરીને ટેકનીકલ પ્રોબ્લેમને લીધે ઉભી થતી મુશ્કેલી દુર થાય અને ગ્રાહકોને અનાજ મળી રહે.એક ને બદલે બે જણાના અંગુઠાથી સરકારને કોઈ અસર થતી નથી ઉલ્ટાની પ્રજાની સગવડતા સચવાઈ છે. વધુમાં જણાવવાનું કે, સસ્તા અનાજના ડીપોના સંચાલકોના કમીશનનો પ્રશ્ન પડતર છે.એક સંચાલકને પોતાના કુટુંબનું ભરણપોષણ થાય તેટલું તો કમીશન મળવું જોઈએ ને ? જો ન મળે તો તે વિતરણમાં વ્યવસ્થીત ધ્યાન આપી શકે નહી.તેથી આ બે પ્રશ્નો માટે સરકારએ વિચારણા કરીને લોકોને સમયસર અનાજ મળા રહે તેવી પધ્ધતી વિકસાવવી જોઈએ તેમ લાલજીભાઇ મહેતાએ રજૂઆતમાં જણાવેલ છે.






Latest News