મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE













મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસેથી પસાર થતી કેનાલમાં અકસ્માતે યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઊંચી માંડલ ગામે હાલમાં રહેતા સુરજભાઈ અટલસિંગ ગુર્જર (20) નામનો યુવાન મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ નેક્સોન સીરામીક કારખાનાની બાજુમાંથી પસાર થતી કેનાલમાં અકસ્માતે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલના પાણીમાં શોધખોળ કરીને યુવાનના મૃતદેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને પીએમ માટે યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં રહેતા સવિતાબેન કરસનભાઈ ચાવડા (60) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યારે રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા (26) નામના મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેઓને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનને મારમાર્યો

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા અમિતભાઈ ગોવિંદભાઈ ચાવડા (36) નામનો યુવાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ દુકાને બેઠો હતો ત્યારે વિશાલ અને અન્ય વ્યક્તિઓએ ત્યાં આવીને તેને હાથ ઉપર ઈંટનો ઘા માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પલાસભાઈ બારોટ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં જમણા હાથ તથા માથાના ભાગમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News