મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE







મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસેથી પસાર થતી કેનાલમાં અકસ્માતે યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઊંચી માંડલ ગામે હાલમાં રહેતા સુરજભાઈ અટલસિંગ ગુર્જર (20) નામનો યુવાન મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ નેક્સોન સીરામીક કારખાનાની બાજુમાંથી પસાર થતી કેનાલમાં અકસ્માતે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલના પાણીમાં શોધખોળ કરીને યુવાનના મૃતદેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને પીએમ માટે યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં રહેતા સવિતાબેન કરસનભાઈ ચાવડા (60) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યારે રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા (26) નામના મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેઓને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનને મારમાર્યો

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા અમિતભાઈ ગોવિંદભાઈ ચાવડા (36) નામનો યુવાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ દુકાને બેઠો હતો ત્યારે વિશાલ અને અન્ય વ્યક્તિઓએ ત્યાં આવીને તેને હાથ ઉપર ઈંટનો ઘા માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પલાસભાઈ બારોટ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં જમણા હાથ તથા માથાના ભાગમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News