મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરનાર તેના બે મિત્રો સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરનાર તેના બે મિત્રો સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ કૈલાશ નળીયાના ગ્રાઉન્ડમાં મિત્રો વચ્ચે જમવાના પૈસાની લેતી લેતી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે બે મિત્રોએ યુવાને નળિયા અને ટાઇલ્સના કટકા વડે પેટના ભાગે માર મારીને ગંભીર ઈજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાએ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં હત્યા, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા દયાબેન જગદીશભાઈ ચૌહાણ (55) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ રણછોડભાઈ ઝાપડા અને પ્રદીપભાઈ કોળી નામના બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ કૈલાશ નળીયાના ગ્રાઉન્ડમાં ફરિયાદીના દીકરા ભરતભાઈ ઉર્ફે જેડીને તેના જુના મિત્રો ગોપાલભાઈ અને પ્રદીપભાઈ સાથે જમવાના પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે ગોપાલભાઈએ નળિયા વડે ભરતભાઈને ખભાના ભાગે તથા પ્રદીપભાઈએ ટાઇલ્સના કટકા વડે તેને પેટના ભાગે માર માર્યો હતો જેથી કરીને ભરતભાઈને ગંભીર થઈ હોય તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો ક સારવાર કારગત ન નીવડતા ભરતભાઈનું મોત નીપજ્યું હતુ અને બનાવ હત્યામાં પલટાયો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News