મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હોય ચાલુ કરવા માંગ


SHARE







મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હોય ચાલુ કરવા માંગ

મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોય અને હાલ ગરમીનો સમય શરૂ થયેલ હોય લોકોના હિત માટે આ પરબ ચાલુ કરવા માંગ કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવાડીયા સ્થાનિક લોકો અને અહિંના વેપારીઓએ જીલ્લા કલેકટર તેમજ પાલીકાના કમીશ્નરને પત્ર લખી રજૂઆત કરતા જણાવેલ છેકે, મોરબી.શહેરના હાર્દ સમાન નહેરૂ ગેટ પાસે આવેલ શાક માર્કેટ નજીક પીજીવીસીએલ ઓફિસ પાસે વર્ષો પહેલા જાહેર જનતાની સુવિધા માટે પીવાના પાણીનું પરબ બનાવવામાં આવ્યુ હતુ.ત્યારબાદ રીનોવેશન પણ કરવામાં આવ્યું હતું છતાં હાલ ઉનાળાની ઋતુ શરૂ થઇ ગયેલ હોવા છતા આ પાણીનું પરબ બંધ હાલતમાં છે.જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક બાબત છે.

આ વિસ્તાર મોરબી શહેરનો મુખ્ય વ્યાપારી વિસ્તાર છે જયાં મોટી શાક માર્કેટ તેમજ મેઇન બજાર આવેલ હોવાથી દરરોજ મોરબી શહેર તથા બહાર ગામથી હજારો લોકો ખરીદી માટે આવે છે.તેમાં ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે.જેમને ક્યારેક પીવાના પાણી માટે ૧૦-૨૦ રૂપિયા ખર્ચવા પણ મુશ્કેલ પડે છે.આવી સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ જાહેર પાણીનું પરબ બંધ રહે તે માનવતાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય નહીં.જો સામાન્ય અને આવશ્યક સુવિધા જેવી પીવાના પાણી વ્યવસ્થા પણ બંધ હાલતમાં હોય અને તે બાબત મહાનગરપાલિકાના ઘ્યાનમાં ન આવે તો તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.ઉપર દર્શાવેલ જગ્યાએ પાણીનું પરબ બંધ હાલતમાં છે તેને તાત્કાલિક અસરથી રીનાવેશન કરીને ફ્રીજ મુકીને ચાલુ કરવામાં આવે તેવી રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.






Latest News