મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ


SHARE







મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ

મોરબી જિલ્લામાં ગુરુવારે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ તથા ભારે પવનના લીધે ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને જીરું, ચણા, લસણ, ઘઉં સહિતના પાકો તૈયાર હતા તેના ઉપર કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે

રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી દરમિયાન ગુરુવારે બપોરના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાંચેય તાલુકામાં ભારે પવન ઉપાડ્યો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ પણ થયો હતો જેના લીધે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો તૂટી પડ્યા હતા કારખાનાના પતરા ઉડી ગયા હતા અને ખેતીના પાકની વાત કરીએ તો ખેતીના પાકમાં પણ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મોરબી તાલુકાના ઘુટુ ગામના માજી સરપંચ દેવજીભાઇ પરેચા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઘુટુ ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ચણા, લસણ, જીરું, ઘઉં સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મોટાભાગના પાક તૈયાર થઈ ગયા હતા જેને લણવા માટેની કામગીરી ચાલુ હતી અને ચણા, જીરું તથા લસણ ના પાથરા કરીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં રાખવામાં આવ્યા હતા જોકે તે પાથરા ઉપાડવામાં આવે ત્યારે પહેલા ગઈકાલે ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને પાથરા ઉડી ગયા હતા અને કમોસમી વરસાદ થવાના કારણે તૈયાર પાકમાં નુકસાન થયું છે આમ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર તરફથી વળતર આપવામાં આવે તો ખેડૂતો આગામી સિઝનમાં બિયારણ લઈને પોતાના ખેતરની અંદર વાવેતર કરી શકશે નહીં તો ખેડૂતો પાયમાલ થઇ જશે તેવું હાલમાં જણાવી રહ્યા છે






Latest News