મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન


SHARE











મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન

મોરબીમાં ગુરુવારે ભારે પવનના કારણે સીરામીક કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા જેથી મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે. અને મોટાભાગના કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન આ કમોસમી વરસાદ પહેલાના ભારે પવનના લીધે થયેલ છે તેવું જાણવા મળી રહ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં 650 જેટલા સિરામિકના કારખાના આવેલ છે અને આ કારખાનાઓમાં હાલમાં ગેસ મળતો ન હોવાથી 450 જેટલા સિરામિકના કારખાનાઓ બંધ થઈ ગયા છે જોકે ગઈકાલે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલ ભારે પવનના કારણે જુદી જુદી જગ્યા ઉપર આવેલા કારખાનામાં નુકસાની થઇ છે ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી.

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ ધર્મેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, સીરામીકના લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ, હળવદ રોડ સહિતના વિસ્તારમાં કારખાનાઓ આવેલા છે તેમાંથી મોટાભાગના સિરામિક કારખાનાઓમાં ગુરુવારે ભારે પવનના કારણે શેડના પતરા ઉડી ગયા છે જેથી કરીને કારખાનેદારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જોકે, સદનસીબે હાલમાં કારખાના બંધ હોવાના કારણે શ્રમિકો કારખાનામાં ન હતા જેથી કરીને કોઈ જગ્યાએ જાનહાની થયેલ નથી.

વધુમાં માહિતી આપતા સિરામિક ઉદ્યોગપતિ ધવલભાઈ રાંકજાએ જણાવ્યુ હતું કે, ખેતી અને ઉદ્યોગ બંનેમાં ભારે પવનના લીધે નુકશાન થયું છે અને મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો જુદાજુદા વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનામાંથી ઘણા કારખાનામાં શેડના પતરાં તૂટી કે પછી ઊડી ગયા છે જેથી કરીને પ્રત્યેક કારખાનેદારને હાલમાં 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન થયું છે.






Latest News