મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ


SHARE













મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ

હાલમાં લીલાપર ગામથી બોરીયાપાટી બજરંગ સર્કલ સુધી કેનાલની બીજી બાજુએ નવો રોડ બનાવવાનું કામ ચાલુ છે.જેમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી.જેથી સ્થાનીક લોકોએ મહાપાલીકાના કમીશ્નરને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.

બોરીયા પાટી નજીક રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે રજૂઆતમાં જણાવ્યું છેકે, આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં વરસાદી પાણી આવે છે.જે અત્યાર સુધી કેનાલ મારફતે નિકાલ થઈ જતો હતો.પરંતુ હવે જ્યારે નવો રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.ત્યારે આવનાર ચોમાસાની ઋતુમાં આ વરસાદી પાણીનો નિકાલ કેનાલ મારફતે થઈ શકશે નહી. અને હાલમાં જે નવો રોડ બનાવવાનો ચાલુ છે.તેમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી આવતી ! તો આવા સંજોગોમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય એમ છે.જેથી લોક સુખાકારી માટે તેઓએ વિનંતી કરેલ છેકે આ લીલાપર કેનાલ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે.જેથી કરીને ભવિષ્યમાં આ વિસ્તાર માં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય.






Latest News