મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો


SHARE













મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો

મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની અસ્મિતા તથા એકતાને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું મચ્છુ માતાજીનાં મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રબારી અને ભરવાડ સમાજના રાજકીય અને સમાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં બંને સમાજ શિક્ષણ, સંગઠન અને રાજકારણમાં આગળ વધે અને વધુ મજબૂત બને તે વાત ઉપર રબારી અને ભરવાડ સમાજના આગેવાનો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.

વર્તમાન સમયમાં સમાજના વિકાસ માટે સંગઠનશક્તિ અનિવાર્ય છે ત્યારે "એકલા ચાલશો તો કદાચ ઝડપથી પહોંચી જશો, પણ સાથે મળીને ચાલશો તો દૂર સુધી અને મજબૂતીથી પહોંચશો" તે ભાવનાને સાર્થક કરવા માટે મોરબીમાં રબારી અને ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા મચ્છુ માતાજીનાં મંદિરે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાંથી રબારી અને ભરવાડ સમાજના આગેવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા.

આ બેઠકમાં બંને સમાજના આગેવાનોએ ખાસ કરીને ખભેથી ખભો મિલાવીને એક મજબૂત અને અજેય સંગઠનનું નિર્માણ કરવા માટે આહ્વાન કર્યું હતું અને મોરબી જિલ્લામાંથી તેની શરૂઆત કરીને આખા ગુજરાતમાં રબારી અને ભરવાડ સમાજનું મજબૂત સંગઠન બને તેવું આયોજન કરવા આગેવાનોએ જણાવ્યુ હતું. મોરબીના આંગણે યોજાયેલ સંગઠન બેઠકમાં બંને સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ અને સંગઠન ઉપર તો ભાર મૂકવામાં આવ્યો જ હતો સાથો સાથ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રબારી અને ભરવાડ સમાજ રાજકારણમાં પણ મજબૂત રીતે આગળ આવે તે માટે સંગઠન શક્તિ અનિવાર્ય છે તેવી લાગણી સહુ આગેવાનોએ મંચ ઉપરથી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલેખનીય છેકે, સંગઠનનું નિર્માણ કરવા માટે યોજાયેલ આ બેઠક માટે કોઈને પણ લેખિતમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું બસ ખાલી સોશ્યલ મીડિયામાં મેસેજ કરવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં લોકો મચ્છુ માતાજીનાં મંદિરે સંગઠન માટેની બેઠકમાં આવી ગયા હતા. આ કાર્યક્રમમાં મચ્છુ માતાજી મંદિરના મહંત તેમજ દેવેનભાઇ રબારી, વિનોદભાઇ ડાભી, હીરાભાઈ ટમારિયા સહિતના રબારી અને ભરવાડ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News