મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વાવાઝોડું અને કમોસમી વરસાદથી ખેડૂતો, ઉદ્યોગકારો અને આમ નાગરિકોને નાના મોટી નુકશાની થયેલ છે જેથી કરીને સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવીને તેઓને સહાય પેટે વળતર આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં તા. 19/3/26 ના રોજ વાવાઝોડા અને કમોસમી વરસાદ પડ્યો હતો જેથી કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે તારાજી થયેલ છે. અને ખેડૂતો ના રવિ પાકને મોટા પાયે નુકશાન થયેલ છે. ખાસ કરીને બાગાયતી પાક જેવા કે દાડમ, લીંબુ અને કેરીના પાકમાં મોટા પાયે નુકશાન થયેલ છે. તેવી જ રીતે ઘઉં, રાયડો, જીરું જેવા પાકો પણ નાશ પામેલ છે. અને એરંડાના પાકને પણ મોટું નુકશાન થયેલ છે. તે ઉરપાંત મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગમાં શેડના છાપરા ઊડી ગયા હતા અને  માલને પણ નુકશાન થયેલ છે. તથા સોલર પેનલનો પણ નાશ થયો છે. આટલુ જ નહીં શ્રમજીવી અને ગરીબ પરિવારોના કાચા મકાનના છાપરા ઊડ્યા હતા અને તેઓને પણ નુકશાન થયેલ છે. અને લોકોને વીજ બિલની બચત માટે ઘર ઉપર લગાવેલ સોલાર પેનલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે. આમ નાના મોટા ઉદ્યોગકારો, ખેડૂતો અને સામાન્ય લોકોને વાવાઝોડા અને કમોસમી વરસાદથી નુકશાન થયું છે જેથી લોકો હેરાન પરેશાન છે.  ત્યારે સરકાર દ્વારા સર્વે કરવીને થયેલ નુકશાન સામે લોકોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News