મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો

મોરબી જલારામ ધામ ખાતે રામનવમી નિમિતે ત્રિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મહાઆરતી ધામધૂમથી કરવામાં આવી હતી.

સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામ નવમી નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલા પ્રભુ શ્રી રામનું પૂજન ત્યાર બાદ બપોરે 12 કલાકે મહાઆરતી અને ત્યાર બાદ ફરાળ મહાપ્રસાદ યોજાયો હતો. આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી તપનભાઈ દવે તેમજ નિર્મલભાઇ જારીયા સહિતના ભાજપના આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને જલારામ ધામ ખાતે મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જલારામ સેવા મંડળના હોદ્દેદારો ઉપરાંત ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહિતના સમાજના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News