આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન


SHARE













મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન

બેલા-ભરતનગર સ્થિત શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરી દેવીજીના પાવન સાન્નિધ્યમાં યોજાનાર આ મહોત્સવમાં ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આનંદનો સુમેળ સર્જાશે.

ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક તેમજ ગૌસેવા જેવી અનેકવિધ સેવાઓ માટે પ્રખ્યાત હરિહરધામ ખાતે તા. 01 એપ્રિલ 2026, બુધવારે વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 9:00 કલાકે અખંડ રામધૂનનો પ્રારંભ થશે, ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. રાત્રે 9:30 ક્લાકે સંતવાણી અને ડાયરા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે તથા વિખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રૂપ દ્વારા ભક્તિમય રજૂઆતો કરવામાં આવશે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવશે.આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા સર્વે ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News