આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ


SHARE













વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તળાવો / ચેકડેમો ભરવા માટે “ સૌની યોજના “ (3KM વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામનું રાતડુ તળાવ, ચાંચડીયા ગામનું રામદેવપીર તળાવ, શેખરડી ગામનું લાવરીયુ તળાવ, શેખરડી ગામનું મોટું તળાવ, રાતડીયા ગામનું મોટું તળાવ, કાનપર ગામનું મચ્છોરા ડ્રેઇન, મહિકા ગામનો ચેકડેમ, સરોડી ગામનું તળાવ વગેરે ભરવા માટે ડાયા D.I./ HDPE પાઈપલાઈન કનેક્શન દ્વારા પાઈપલાઈન/ સ્કોર વાલ્વ અને તમામ સંલગ્ન કાર્યોનું ખાતમુહૂર્ત આજ રોજ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું જેમાં આજુબાજુ ગામના સરપંચો, આગેવાનો તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિજ્ઞાસાબેન મેરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે “સૌની યોજના” (3KM વિસ્તાર)ને સાકળતા તળાવો/ ચેકડેમોના કામનું ખાતમુહૂર્ત કરતા સહિત ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના હેઠળ મેસરીયા મહાલના મેસરીયા, ઠીકરીયાળા, ભલગામ, જાલિડા, સમઢીયાળા, રાતડીયા, મહિકા ગામોને સિંચાઈ માટે તળાવો ભરવાના કામને મંજુરી મળી ગઈ છે.સાથો સાથ આ યોજનામાં હજુ બાકી રહેતા વિવિધ ગામોના તળાવો જોડવાનું કામ કાર્યરત છે. મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં વિસ્તારના માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે. વર્ષો સુધી પાણીની ભયંકર અછત જોઈ ચૂકેલા વાંકાનેરના મેસરીયા મહાલના લોકો તો પાણીની કિંમત સારી રીતે સમજે છે જણાવતા જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા જિજ્ઞાસાબેને આગ્રહ કર્યો હતો.






Latest News