રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા


SHARE











મોરબી માળિયા વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં લડાયક નેતા તરીકેની એક આગવી ઓળખ ધરાવતા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું ગઈકાલે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું ત્યાર બાદ આજે બપોરે 12:30 વાગ્યે તેઓના નિવાસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને ત્યારે રાજ્યના મંત્રી ઉપરાંત ત્રણેય પક્ષના રાજકીય અગ્રણીઓ, મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો સહિતના નગરજનો તેઓની અંતિમયાત્રામાં જોડાયા હતા

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સોમવારે મોડી સાંજે મહેન્દ્રનગર ગામે કોંગ્રેસના કાર્યકર્તાના ઘરે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક કરવા માટે ગયા હતા ત્યારે અચાનક તેઓને તેઓ હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નીવડતા તેમનું હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે મોત નીપજ્યું હતું

ત્યારબાદ આજે સવારે 11:30 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજવાટીકા ખાતે તેઓના નિવાસ્થાન ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય રાજકીય પક્ષના સ્થાનિક આગેવાનો તથા કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો કિશોરભાઈ ચીખલીયાની અંતિમયાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત પાટીદાર સમાજના આગેવાનો, સિરામિક ઉદ્યોગકારો સહિતના નગરજનો અંતિમયાત્રામાં જોડાયા હતા

ખાસ કરીને અંતિમયાત્રામાં જોડાયેલા લોકોએ કિશોરભાઈ ચીખલીયાએ છેલ્લા વર્ષોમાં લોકો માટે કરેલા કામ, તેઓની હર હંમેશ ખેડૂતોને ઉપયોગી થવાની ભાવનાને યાદ કરી હતી અને ન માત્ર પાટીદાર સમાજ પરંતુ મોરબી અને કોંગ્રેસને કદી ન પૂરી શકાય તેવી ખોટ આજે પડી છે તેવી લાગણી સહુ કોઈએ વ્યક્ત કરી હતી

અત્રે ઉલ્લેખની છે કે વર્ષ 2010 માં તેઓ પ્રથમ વખત કોંગ્રેસના સિમ્બોલ સાથે રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા અને ત્યારબાદ વર્ષ 2015 માં મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટાયા હતા અને ત્યાર બાદ તેઓએ મોરબી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી અને વર્ષ 2024 થી તેમને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી અને આગામી સમયમાં તેઓના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોરબીમાં યોજાવાની હતી જેથી તેઓ દ્વારા મજબૂત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ હતી તેવા સમયે અચાનક કિશોરભાઈ ચિખલિયાનું અવસાન થવાથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ નોંધારી બની ગઈ છે. તેવું કહીએ તો અતિશયોક્તિ નથી






Latest News