આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ


SHARE













મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ

મોરબી સુરજબાગમાં બગીચો બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, ત્યાં બાલ ભવન બનાવવામાં આવે તેના માટે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ રામ મહેતાએ મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આશરે ત્રીસથી વધારે બાળકો માટે ડાન્સ કલાસીસ છે તેમજ સંગીત કલાસીસ છે અને શાસ્ત્રીય સંગીતના પણ વર્ગો નાટય સંસ્થા છે. મોરબી એક કલાની નગરી છે પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે મોરબીમાં એક પણ બાલ ભવન નથી. આપના તરફથી પ્રજાની સુખાકારી માટે બાગ બગીચા, લાયબ્રેરી તથા અન્ય સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત હાલે સુરજબાગમાં સરસ બગીચો બનાવવામાં આવી રહયો છે તે ખુશીની વાત છે. પરંતુ ત્યાં જગ્યા છે અને બાળકોના માનસિક તથા શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે જો બાલ ભવન બનાવવામાં આવે તો સંગીત, નાટય, ડાન્સ, કરાટે તમામ પ્રવૃતિ એક સ્થળે એક સાથે થઈ શકે છે જેમ રાજકોટમાં બાલભવન છે તેમ અહીં પણ બનાવવામાં આવે તો વધારે સારૂ સાથોસાથ ટાઉન હોલ પણ ઝડપથી કાર્યરત થાય તો નાટય, સંગીત, ડાન્સના શો શરૂ થાય અને બહારથી સારા નાટકો આવે પ્રજાને સારા સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે તેમ છે જેથી કરીને આ બાબતને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News