હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE











હળવદના રાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

હળવદના રાડવા ગામ પાસે આવેલી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું છે જ્યારે મોરબી તાલુકાના ઘૂટુ ગામ પાસે આવેલ કુવામાં પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નિપજ્યું છે આ બંને બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ડૂબી ગયો હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને કેનાલના પાણીમાં ડૂબી ગયેલ યુવાને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી. અને કેનાલના પાણીમાંથી મૂળ બિહારના રહેવાસી સેરાજ મહમદ (25) નામના યુવાનના મૃતદેપાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે ત્યારબાદ મોરબીના ઘૂટું ગામે તળાવ પાસે આવેલ કુવામાં વૃદ્ધ પડી ગયા છે તેવો કોલ ફાયરની ટિમને આવ્યો હતો જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કુવાના પાણીમાં પડી ગયેલ ભવાનભાઇ માલાભાઈ રાઠોડ (65) નામના વૃદ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ છે અને તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પણ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી આ કામગીરી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના જયેશભાઈ ડાકી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News