હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે


SHARE







27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેસડા (સુ.) ગામે કરોતરા પરિવાર દ્વારા કુળદેવી આઈ શ્રી શેખ માતાજી તથા આઈ શ્રી કામઈ માતાજીના નૂતન મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 27 એપ્રિલ 2026, સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક પ્રસંગ સંવત 2082 વૈશાખ સુદ-11ના શુભ દિવસે વિવિધ વિધિ-વિધાન સાથે ઉજવાશે. કાર્યક્રમની શરૂઆત સવારે 7 કલાકે ગણપતિ પૂજનથી થશે, ત્યારબાદ સામૈયા, સ્થાપ્ય દેવ પૂજન, સ્થાપના વિધિ અને મૂર્તિ ન્યાસ જેવીવિધિ યોજાશે. સવારે 11:15 કલાકે માતાજીની સ્થાપના વિધિ પૂર્ણ થશે. બપોરે શાંતિ પૌષ્ટિક હોમ અને બીડુ હોમવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાત્રે 10 કલાકે માતાજીની બેઠક યોજાશે. ઉપરાંત સંતો અને ભુવાનોના સામૈયા પણ કાર્યક્રમને ભવ્યતા આપશે.આ પ્રસંગે બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. કરોતરા પરિવાર દ્વારા નેસડા (સુ.), ઘુનડા, લીલાપર, થોરીયાણી, બાંગા, મેઘપર ઝાલા સહિતના ગામોના ભક્તોને ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લેવા અને પ્રસંગને ભવ્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.






Latest News