હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર


SHARE







મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિજેતા બનેલા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લાના પ્રમુખ દ્વારા ખાસ કરીને તમામ વિજેતા બનેલા ઉમેદવારોને ટકોર કરવામાં આવી હતી કે “રાજનીતિ એ કમાવાનું સાધન નથી પરંતુ સેવા માટેનું ક્ષેત્ર છે” જેથી કમળ અને પક્ષ મહાન છે આ વાતને નજર સમક્ષ રાખીને દરેક લોકોએ આગામી પાંચ વર્ષ સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કામ કરવાનું છે.

મોરબી જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા અને પાંચ તાલુકા પંચાયત આમ કુલ મળીને 250 બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને તેનું ગઈકાલે પરિણામ આવ્યું છે જેમાં 178 બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારો તથા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોય તે પણ ભાજપના ઉમેદવારોનો અભિવાદન સમારોહ મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયો હતો

જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા અને બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, માજી ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા સહિતનાઓની હાજરીમાં અભિનંદન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં ખાસ કરીને જિલ્લાની સ્થાનિક સ્વરાજની મોટા ભાગની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારો વિજય થતા કમળ ખીલી ઉઠ્યું છે પરંતુ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટેની જે બેઠક હતી તે બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હાર્યા હોવાથી તે બાબતે ભાજપના આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી. સાથોસાથ જિલ્લામાં કેટલીક બેઠકો ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે તે બાબતે પણ આગેવાનો દ્વારા ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકર્તાઓને જમ ઘર ભાળી ન જાય તે માટેની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા બૂથ વાઇઝ મળેલ મતોનું એનાલિસિસ કરવા માટે કહ્યું હતું અને વિકાસ કામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની ટકોર કરવામાં આવેલ છે.

જોકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ વિજેતા બનેલા તમામ ઉમેદવારોને કહ્યું હતું કે, રાજનીતિ એ કમાવાનું સાધન નથી પરંતુ લોક સેવા માટેનું ક્ષેત્ર છે હાલમાં ચૂંટાયેલા ઉમેદવારોને સારા કામ કરશે એટ્લે આગામી સમયમાં ટિકિટ મળી જ જશે એવું નથી સારામાં સારા કામ કર્યા હશે તો પણ ટિકિટ નહીં મળે કેમ કે, કમળ અને પક્ષ સર્વોપરી અને મહાન છે આ વાતને નજર સમક્ષ રાખીને ચૂંટાયેલા લોકોએ કામે લાગી જવાનું છે.






Latest News