મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો


SHARE







મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા માતા-પુત્ર વચ્ચે ઝઘડો ચાલુ હતો ત્યારે ત્યાં પાડોશમાં રહેતો યુવાને તે બંનેને છોડાવવા માટે ગયો હતો ત્યારે માતાની સાથે માથાકૂટ કરી રહેલા શખ્સે યુવાનને પેટના ભાગે છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવમાં કુલ બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા સલીમભાઈ દાઉદભાઈ સમા (48) નામના યુવાનને તે વિસ્તારમાં રહેતા શહેઝાદ ઈકબાલભાઈ નામના સકસે પેટના ભાગે છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા સલિમભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં રજીયાબેન પલેજા (50) નામના મહિલાને પણ ઇજા થઈ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે આવ્યા હતા. વધુમાં ઇજાગ્રસ્ત સલીમભાઈના દીકરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રજીયાબેન તેઓના ઘરની સામેના ભાગમાં રહે છે અને તેમનો દીકરો શહેઝાદ ઈકબાલભાઈ તેની સાથે માથાકૂટ કરતો હતો જેથી સલીમભાઈ ત્યાં તે બંનેને છોડાવવા માટે થઈને ગયા હતા. દરમ્યાન શહેઝાદે તેના હાથમાં રહેલ છરી સલીમભાઈને પેટના ભાગે મારી દીધી હતી જેથી તેઓને ઈજા થઈ હતી. હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં લેતા લીલાબેન નટુભાઈ સોલંકી (76) નામના વૃદ્ધાને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News