વાંકાનેરમાં દેશી દારૂમાં એસન્સ મિક્સ કરીને ડુપ્લિકેટ વિદેશ દારૂનું કૌભાંડ: 80 હજારના મુદામાલ સાથે એકની ધરપકડ, રાજકોટના શખ્સની શોધખોળ મોરબીમાં મચ્છુ માતાજીનાં પ્રાગટ્ય દિવસ નિમિતે અષાઢી બીજે :રાસ-ગરબા અને હુડોની જમાવટ સાથે ભવ્ય રથયાત્રા યોજાઇ મોરબી તાલુકા પોલીસે બેલા ગામે રેડ કરતા ૩૨૪ બોટલ દારૂ પકડાયો, આરોપીઓની શોધખોળ: વનાળીયા ગામે બીયરના ૯૫ ટીન મળ્યા વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ મોરબી : ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત હળવદના કડીયાણા ગામે જુગાર રમતા 5 શખ્સો 57,600 ની રોકડ સાથે પકડાયા મોરબી સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસેથી ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા એક આધેડનું મોત: એક ગંભીર
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ


SHARE







વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ

વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો છે, જે હાલ ઉતરપ્રદેશના ઝાંસી પહોંચેલ છે. આ અંગે કમલ સુવાસ સાથે ફોન પર વાત કરતા અયોધ્યા જવા પગપાળા નીકળેલા દેરાળાના જયંતિ ગણેશભાઈ ભીસડીયા (ઉ.33)એ જણાવ્યું હતું કે તેઓ 8 ધોરણ સુધી ભણેલા છે, પોતે પેઈન્ટર હોય દિવાળીએ પૂરાતી રંગોળી બનાવવાની મહારત છે, ચાર ભાઈ છે, કડીયા કામ કરે છે.

દેરાળાથી 20 દિવસ પહેલા તેઓ એકલા જ અયોધ્યા જવા નીકળેલા છે.  દેરાળાથી તેઓ ધ્રાંગધ્રા, માલવણ ચોકડી, તલોદ, મોડાસા, શામળાજી બોર્ડર થઈને રાજસ્થાનમાં ઉદેપુર, ચિતોડગઢ, બારા, શિવપુરી થઈને એમપીમાં પ્રવેશ કરેલ, અત્યારે તેઓ વતનથી 1025 કિ.મી. દૂર ઝાંસીનો કિલ્લો જોઈ રહ્યા છે. તેઓ દેરાળાના ઉપ સરપંચ છે.જયંતિભાઈ દરરોજ 55 થી 60 કિ.મી. ચાલે છે, શ્રધ્ધાના બળે થાક લાગતો નથી, કોઈ બીમારી કે કોઈ અકસ્માત થયો નથી, રાજસ્થાનમાં લગભગ અગીયારેક દિવસનો રસ્તો મોટેભાગે જંગલ વિસ્તાર હોવા છતા કોઈ અનિચ્છનીય ઘટના બનેલ નથી, દેરાળાથી અયોધ્યાનું કુલ અંતર 1540 કિ.મી. છે એમનું ઈન્સ્ટાગ્રામ આઈડી કેસરી.કેસરી.5667 છે.






Latest News