વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી


SHARE









મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી

મોરબી મહાપાલિકામાં તાજેતરમાં રોજમદાર કર્મચારીઓનું હાજરી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં અગાઉના કૌભાડોની જેમ ભીનું સંકેલી ન લેવામાં આવે તે માટે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી જેમાં જણાવ્યુ છે કે, મહાપાલિકામાં કામ કરતા રોજમદાર કર્મચારીઓની હજારીમાં લાખો રુપિયાનું કૌભાંડ સામે આવ્યું છે અને હાજરી મશીનમાં મહાપલીકમાં કામ ન કરતાં હોય તેવા કર્મચારીઓની હાજરી ભરીને તેના પગાર લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. અને ગેરહાજર કર્મચારીઓની હાજરી આંગળીઓ અને અંગૂઠાથી ભરી દેવામાં આવતી હતી. જેથી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરનારાઓ અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે તટસ્થ તપાસ કરીને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.

વધુમાં શહેર કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે કે, અગાઉ પાલિકા હતી ત્યારે સિમેન્ટની થેલીઓ લીધેલ હતી જે પથ્થર બની ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેમાં કમિશનર દ્વારા સમિતિ બનાવીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી તેમજ પાલિક હતી ત્યારે કલમ 45 ડી, આવાસ યોજના અને નંદીઘર મામલે થયેલ કૌભાંડોની માહિતી માટે લેખિતમાં રજૂઆતો કરાઈ હતી તો પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી. જેથી ઉપરોકત કૌભાંડો અને હાલમાં સામે આવેલ હાજરી કૌભાંડમાં ભીનું સંકેલી ન લેવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.






Latest News