ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી


SHARE





મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી

મોરબી મહાપાલિકામાં તાજેતરમાં રોજમદાર કર્મચારીઓનું હાજરી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં અગાઉના કૌભાડોની જેમ ભીનું સંકેલી ન લેવામાં આવે તે માટે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી જેમાં જણાવ્યુ છે કે, મહાપાલિકામાં કામ કરતા રોજમદાર કર્મચારીઓની હજારીમાં લાખો રુપિયાનું કૌભાંડ સામે આવ્યું છે અને હાજરી મશીનમાં મહાપલીકમાં કામ ન કરતાં હોય તેવા કર્મચારીઓની હાજરી ભરીને તેના પગાર લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. અને ગેરહાજર કર્મચારીઓની હાજરી આંગળીઓ અને અંગૂઠાથી ભરી દેવામાં આવતી હતી. જેથી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરનારાઓ અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે તટસ્થ તપાસ કરીને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.

વધુમાં શહેર કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે કે, અગાઉ પાલિકા હતી ત્યારે સિમેન્ટની થેલીઓ લીધેલ હતી જે પથ્થર બની ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેમાં કમિશનર દ્વારા સમિતિ બનાવીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી તેમજ પાલિક હતી ત્યારે કલમ 45 ડી, આવાસ યોજના અને નંદીઘર મામલે થયેલ કૌભાંડોની માહિતી માટે લેખિતમાં રજૂઆતો કરાઈ હતી તો પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી. જેથી ઉપરોકત કૌભાંડો અને હાલમાં સામે આવેલ હાજરી કૌભાંડમાં ભીનું સંકેલી ન લેવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.




Latest News