મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો


SHARE







રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

વાંકાનેરમાં રહેતા શખ્સને ભરણપોષણના કેસમાં જેલની સજા થઈ હતી અને ત્યારબાદ તેને હાઈકોર્ટમાંથી પેરોલ મેળવીને રાજકોટની જેલમાંથી મુક્તિ મેળવી હતી અને ત્યારબાદ તે પરત જેલમાં હાજર ન થતા પેરોલ જમ્પ કરનારા કેદી સામે રાજકોટ જેલના જેલર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કે.જી. સિસોદિયા દ્વારા ફિરોજભાઈ અબ્દુલભાઈ બ્લોચ રહે. ભાટિયા સોસાયટી ત્રિલોકધામ શેરી નં 3 વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ હાઇકોર્ટમાંથી પેરોલ મેળવીને જેલમાંથી મુક્તિ મેળવી હતી અને ત્યારબાદ તા.10/4/2026 ના રોજ તેને જેલમાં પરત હાજર થવાનું હોય તે જેલમાં હાજર થયેલ ન હોય હાલમાં પેરોલ જમ્પ કરનાર કેદી સામે જેલર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ બનાવની આગળની વધુ તપાસ કરતા ભોજરાજસિંહ ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ફિરોજભાઈ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો જેમાં તેઓએ પૈસા ભર્યા ન હોવાના કારણે તેમને જેલની સજા થઈ હતી અને પેરોલ મેળવ્યા બાદ પેરોલ જમ્પ કરીને નાસી ગયેલ છે જેથી ગુનો નોંધીને પોલીસે તેને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.

હાર્ટ અટેકથી આધેડનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે કાળીપાટ નજીક રહેતા ભીમજીભાઈ ધનાભાઈ સોલંકી (55) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેમનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક આધેડના દીકરા દિનેશભાઈ સોલંકી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરતાં આર.આર. મિયાત્રા પાસેથી જાણવા મળ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આધેડનું મોત હાર્ટ એટેક થયુ હોવાનું સામે આવ્યું છે જો કે વીસેરા લઈને મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી હાથ કરાય છે.






Latest News