મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે


SHARE











હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે

હળવદ તાલુકામાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહ્ન ભોજન યોજના) હેઠળના વિવિધ કેન્દ્રોમાં સંચાલક (વ્યવસ્થાપક) ની ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. હળવદ મામલતદાર કચેરી દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, રસ ધરાવતા ઉમેદવારો આગામી તારીખ ૦૧/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન (જાહેર રજાઓ સિવાય) પોતાની અરજીઓ સબમિટ કરી શકશે. 

હળવદ તાલુકાના કેન્દ્ર નં. ૮ ચંદ્રગઢ, કેન્દ્ર નં. ૧૦ મંગળપુર, કેન્દ્ર નં. ૧૦૫ - કૃષ્ણનગર (ઘનાળા) અને કેન્દ્ર નં. ૧૧૪ - માધવનગર (ટીકર-રણ) એમ કુલ ૪ પીએમ પોષણ કેન્દ્રો માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે માટે ઉમેદવારની ઉંમર લઘુતમ ૨૦ વર્ષથી ઓછી અને મહત્તમ ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમામ માટે છૂટછાટ સાથેની મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. આ જગ્યા માટે ઉમેદવાર એસ.એસ.સી. (ધોરણ-૧૦) પાસ હોવા અનિવાર્ય છે. જો સંબંધિત ગામમાં ધોરણ-૧૦ પાસ ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો જ ધોરણ-૭ પાસ ઉમેદવારને છૂટછાટ આપવામાં આવશે. માત્ર જે-તે કેન્દ્રના સ્થાનિક ઉમેદવાર જ અરજી કરવા માટે પાત્ર રહેશે અને કોઈ પણ ઉમેદવાર એક કરતાં વધુ કેન્દ્ર માટે અરજી કરી શકશે નહીં. અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, પી.એમ. પોષણ શાખા, હળવદખાતેથી રૂબરૂ આવીને નિયત નમૂનાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે.અને ભરેલા ફોર્મ સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), માર્કશીટ, સ્થાનિક રહેઠાણનો પુરાવો તથા અન્ય જરૂરી સક્ષમ અધિકારીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડીને તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ કચેરી સમય સુધીમાં પરત જમા કરાવવાનું રહેશે






Latest News