તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ


SHARE











હળવદના કોયબામાં શહિદ જવાન વનરાજસિંહ ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શહીદ યાત્રા યોજાઇ

૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા હળવદ તાલુકાના કોયબા ગામના શાહિદ જવાન વનરાજસિંહ હાલુભા ઝાલાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હળવદ તાલુકાનાં કોયબા ગામમાં શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત પ્રદેશ અને સમસ્ત કોયબા ગામ દ્વારા ૧૯૭૧ ના ભારત પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા વનરાજસિંહ ઝાલાની શહાદતના ૫૦ વર્ષ પૂર્ણ થતા કોયબા ગામે શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા રાજ્યના મંત્રી કિર્તીસિંહ વાઘેલા, હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના આગેવાનો તેમજ નિવૃત આર્મીમેનો હાજર રહ્યા હતા અને આ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી અને શહીદ વનરાજસિંહને આર્મીના ઓફિસરો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, શહીદ વનરાજસિંહ ઝાલા ગામમાં આજની તારીખે પણ સુરાપુરા તરીકે પૂજાય છે અને ત્યના લોકો તેમની માનતા માને છે અને લોકોના ધાર્યા કામો પણ થાય છે






Latest News