મોરબીમાં શૈક્ષણિક કીટ અર્પણ કરી કોલેજના વિદ્યાર્થીઓએ થર્ટી ફસ્ટ ઉજવી
મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતની પરીરાણીના દેશમાં બાળવાર્તા સંગ્રહનું વિમોચન કરશે
SHARE
મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતની પરીરાણીના દેશમાં બાળવાર્તા સંગ્રહનું વિમોચન કરશે
મોરબીમાં સાહિત્યક્ષેત્રે ખેડાણ કરતા ઘણા બધા લેખકો છે અને અવારનવાર અનેક લેખકોના પુસ્તકો પ્રકાશિત થાય છે. હાલ ટી.વી.મોબાઈલ અને કમ્પ્યુટર યુગમાં બાળકોને પ્રિય એવી બાળવાર્તા વિસરાતી જાય છે, બાળવાર્તા સાંભળવાથી બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસે છે, બાળક કલ્પનામાં વિહરે છે, ત્યારે બાળવાર્તાને જીવંત રાખવાના પ્રયત્નના ભાગરૂપે મોરબીના લેખક અને જીકિયારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રકાશ કુબાવતની કલમે લખાયેલ બાળવાર્તા સંગ્રહનો લોકાર્પણ કાર્યક્રમ તા.૧/૧/૨૨ ને રવિવારના રોજ બપોરે ૨;૩૦ કલાકે જીકિયારી ગામે પ્રખ્યાત સાહિત્યકારો નટવર ગોહિલ, યશવંત મહેતા,અવિનાશ પરીખ, ડો.ધર્મેન્દ્ર પટેલ, સ્નેહલ નિમાવત, જાગૃતિ રામાનુજ, ડો. સતીશ પટેલ, કાયમઅલી હજારી, ડો.પ્રવીણ નિમાવત, ડો.ભરત રામાનુજ વગેરેની હાજરીમાં યોજાશે અને પરીરાણીના દેશમાં પુસ્તકો લોકાર્પણ કરવામાં આવશે