મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતની પરીરાણીના દેશમાં બાળવાર્તા સંગ્રહનું વિમોચન કરશે


SHARE













મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતની પરીરાણીના દેશમાં બાળવાર્તા સંગ્રહનું વિમોચન કરશે

મોરબીમાં સાહિત્યક્ષેત્રે ખેડાણ કરતા ઘણા બધા લેખકો છે અને અવારનવાર અનેક લેખકોના પુસ્તકો પ્રકાશિત થાય છે. હાલ ટી.વી.મોબાઈલ અને કમ્પ્યુટર યુગમાં બાળકોને પ્રિય એવી  બાળવાર્તા વિસરાતી જાય છે, બાળવાર્તા સાંભળવાથી બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસે છે, બાળક કલ્પનામાં વિહરે છે, ત્યારે બાળવાર્તાને જીવંત રાખવાના પ્રયત્નના ભાગરૂપે મોરબીના લેખક અને જીકિયારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રકાશ કુબાવતની કલમે લખાયેલ બાળવાર્તા સંગ્રહનો લોકાર્પણ કાર્યક્રમ તા.૧/૧/૨૨ ને રવિવારના રોજ બપોરે ૨;૩૦ કલાકે જીકિયારી ગામે પ્રખ્યાત સાહિત્યકારો નટવર ગોહિલ, યશવંત મહેતા,અવિનાશ પરીખ, ડો.ધર્મેન્દ્ર પટેલ, સ્નેહલ નિમાવત, જાગૃતિ રામાનુજ, ડો. સતીશ પટેલ, કાયમઅલી હજારી, ડો.પ્રવીણ નિમાવત, ડો.ભરત રામાનુજ વગેરેની હાજરીમાં યોજાશે અને પરીરાણીના દેશમાં પુસ્તકો લોકાર્પણ કરવામાં આવશે




Latest News